|
શ્રી વલ્લભીપુર શહેરમાં સ્વયંભુ શ્રી બુધ્ધેશ્વર
મહાદેવનું શિવલગ ૨૦૦૦ વર્ષ પુરાતનું છે તે મંદિર ના
પટ્ટાંગણ મા મહંતશ્રી શિવગીરીબાપુની ૨૫ મી પુણ્યતિથી
નિમિતે સવંત ૨૦૬૬ ના ચૈત્ર સુદ ૨ થી ૮ તા.૧૭-૩-૨૦૧૦
બુધવાર થી ૨૩-૩-૨૦૧૦ મંગળવાર સુધી મર્યાદાપુરૂષોત્તમ
ભગવાન શ્રી રામના ચરિત્રથી ભરપુર ગૌસ્વામી શ્રી તુલસીદાસજી
મહારાજ વિરચિત શ્રીરામચરિત માનસ સપ્તાહ પારાયણ
જ્ઞાનયજ્ઞનું આયોજન મહંત શ્રી ત્રિભોવનગીરી બાપુ દ્વારા
કરવામાં આવ્યુ હતુ.
કથાના વકતા પદે ગઢપુરના નવયુવાન વકતા
શા.સ્વા.છપૈયાપ્રકાશદાસજી ગુરૂ સ્વા.નારાયણસેવાદાસજી એ
બિરાજી સંગીતના કલરવ સાથે કથામૃતનું રસપાન કરાવ્યુ હતુ.
આ દિવ્ય મહોત્સવમાં રામજન્મ સીતાસ્વયંવર આદિ
ભવ્યતાથી ઊજવાયા હતા સભાનું સંચાલન શા.કે.પી સ્વામી
ગઢપુરવાળા એ કર્યુ હતુ. |