રત્‍નકણિકા

 
  • કોઇપણ કર્તવ્‍ય-કર્મ નાનું કે મોટું હોતું નથી. નાનામાં નાનું અને મોટામાં મોટુ કર્મ કર્તવ્‍યમાત્ર સમજીને (સેવાભાવથી) કરવાથી સરખું જ છે.

  • જેનાથી બીાઓનું હિત થાય છે, તેજ કર્તવ્‍ય હોય છે. જેનાથી કોઇનું પણ અહિત થાય છે. તે અકર્તવ્‍ય હોય છે.

  • રાગ દ્વેશને કારણે જ મનુષ્‍યને કર્તવ્‍ય-પાલનમાં પરિશ્રમ યા કઠનાઇ પ્રતીત થાય છે. જેનાથી કોઇનું પણ અહિત થાય છે. તે અકર્તવ્‍ય હોય છે.

  • રાગ-દ્વેષને કારણે મનુષ્‍યને કર્તવ્‍ય-પાલનમાં પરિશ્રમ યા કઠનાઇ પ્રતીત થાય છે.

  • જે કરવું જોઇએ અને જે કરી શકાય છે. તેનું નામ કર્તવ્‍ય છે. કર્તવ્‍યનું પાલન ન કરવું પ્રમાદ છે. પ્રમાદ તમોગુણ અને તમોગુણ નરક છે. નરકસ્‍મતઉન્‍નાહો (શ્રીમદભાગવત ૧૧/૧૯/૪૩)

  • પોતાના સુખને માટે કરેલું કર્મ અસત અને બીજાઓના હિતને માટે કરેલું કર્મ સત હોય છે. અસત કર્મનું પરિણામ જન્‍મ-મરણની પ્રાપ્તિ અને સત કર્મનું પરિણામ પરમાત્‍માની પ્રાપ્તી છે.

  • સારામા સારુ કાર્ય કરો, પણ સંસારને સ્‍થાયી માનીને નહી કરો.

  • જે નિષ્‍ઠા હોય છે તે તત્‍પરતાપૂર્વક પોતાના કર્તવયનું પાલન કરી શકે છે.  --

  • બીજાઓ તરફ જોવાવાળા કયારેય પણ કર્તવ્‍યનિષ્‍ઠ થઇ શકતા નથી કારણ કે બીજાઓનું કર્તવ્‍ય જોવું એ જ અકર્તવ્‍ય છે.

  • ગૃહસ્‍થ હોય અથવા સાધુ હોય, જે પોતાના કર્તવયનું પાલન બરાબર કરે છે, તે શ્રેષ્‍ઠ છે.

  • મારુ કાંઇ નથી, મારે કાંઇ જોઇએ નહી અને મારે કાંઇ કરવાનું નથી - આ ત્રણ વાતો ઝઠપી ઉદ્ધાર કરવાવાળી છે.

  • ભગવાનનો સંકલ્‍પ આપણા કલ્‍યાણને માટે છે. જો આપણો કોઇ સંકલ્‍પ ન રાખીએ તો ભગવાનના સંકલ્‍પ અનુસાર આપોઆપ આપણું કલ્‍યાણ થઇ જશે.

  • સંસારની એવી કોઇ પણ પરિસ્થિતિ નથી. જેમાં મનુષ્‍યનું કલ્‍યાણ ન થઇ શકે કારણ મે પરમાત્‍મા પ્રત્‍યેક પરિસ્થિતિમાં સમાનરુપે હાજર છે.

  • કલ્‍યાણની પ્રપ્‍તી ઘણી સરળ છે, પણ કલ્‍યાણની ઇચ્‍છા જ ન હોય તો તે સરળતા શું કામની ?

  • સંસારનું કામ તો કોઇ પણ કરી લેશે. પણ પોતાનાં કલ્‍યાણનું કામ તો પોતે જ કરવું પઠશે. જેમ કે - ભોજન અને દવા આપણે જાતે લેવા પડે છે.

  • કલ્‍યાણ ક્રિયાથી થતું નથી, બલકે ભાવ અને વિવેકથી થાય છે.

  • ઘરમાં રહેવાવાળા બધા લોકો પોતાને સેવક અને બીજાઓને સેવ્‍ય સમજે તો બધાંની સેવા થઇ જશે, અને બધાંનુ કલ્‍યાણ થઇ જશે.

  • ભોગોની પ્રિયતા જન્‍મ મરણ દેવાવાળી અને ભગવાનની પ્રિયતા કલ્‍યાપ કરવાવાળી છે.

  • પોતાનું કલ્‍યાણ ચાહવાવાળા સાચા હદયથી પ્રાર્થના કરે તો ભગવાનના દરબારમાં તેમની સુનાવણી જદલી થાય છે.

  • જયાં સુધી સાધકનામાં પોતાના સુખ, આરામ, માન, મોટાઇ વગેરેની કામના છે, ત્‍યાં સુધી તેનું વ્‍યકિતત્‍વ ઓગળતું નથી અને વ્‍યકિતત્‍વ નષ્‍ટ થયા વિના તત્‍વથી અભિન્‍નતા થતી નથી.

  • જયારે આપણા અંતઃકરણમાં કોઇ પ્રકારની કામના નહીં રહેશે ત્‍યારે આપણે ભાગવત-પ્રાપ્તિની ઇચ્‍છા કરવી નહીં પડે, બલ્‍કે ભગવાન સ્‍વયં પ્રાપ્‍ત થઇ જશે.

  • સંસારની કામનાથી પશેતાનો અને ભગવાનની કામનાથી મનુષ્‍યતાનો આરંભ થાય છે.

  • મારા મનનુ થઇ જાય ઓ કામના કહે છે, આ કામના જ દુઃખનું કારણ છે. આનો ત્‍યાગ કર્યા વિના કોઇ સુખી નહી થઇ શકે.

  • મને સુખ કેમ કરીને મળે - માત્ર આ ચાહનાને કારણે મનુષ્‍ય કર્તવય‍હિન અને પતિત થઇ જાય છે.

  • કામના ઉત્‍પન્‍ન થતાં જ મનુષ્‍ય પોતાના કર્તવ્‍યથી, પોતાનાં સ્‍વપથી અને પોતાના ઇષ્‍ટ (મગવાન)થી વિમુખ થઇ જાય છે અને નાશવંત સંસારની સન્‍મખ થઇ જાય છે.

  • સાંસારિક ઇચ્‍છા ઉત્‍પન્‍ન થતા જ પારમાર્થિક માર્ગમ)ં ધુમાઠો થઇ જાય છે. જો આ અવસ્‍થામાં સાવધાન ન રહો તો ઇચ્‍છા ઘણી વધારે થઇ જાય છે ઇચ્‍છા વધી જવાથી તો પારમાર્થિક માર્ગમાં અંધારુ જ થઇ જાય છે.

  • કામનાઓના ત્‍યાગમાં સૌ સ્‍વતંત્ર, અધિકારી, યોગ્‍ય અને સમર્થ છે. પરંતુ કામનાઓની પૂર્તિમાં કોઇ પણ સ્‍વતંત્ર અધિકારી, યોગ્‍ય અને સમર્થ નથી.

  • જેમ જેમ કામનાઓ નષ્‍ટ થયા છે. તેમ તેમ સાધુતા આવે છે અને જેમ જેમ કામનાઓ વધે છે તેમ તેમ સાધુતા લુપ્‍ત થાય છે. કારપ કે અસાધુતાનું મૂળ કારણ કામના જ છે.

 

((પરત))               ((મુખ્‍ય પેઇઝ))               ((વધુ વાંચો))

 

|    મહત્‍વની વેબસાઇટ    |

|    ગઢડા મંદિર સંચાલિત વેબસાઇટ    |

| www.Aksharoradi.com | www.Durgpurmahatmya.com  | www.Bhaktibag.com  | www.Radhavav.com  |
www.Darbargadh.com  | www.Laxmiwadi.com  | www.Naliyeridhar.com  | www.Unmattganga.com  |
www.Bhaktachintamani.com  | www.Gadhpur.com  | www.Sahastradhara.com  | www.gopinathjimaharaj.com  |
|   www.Gopinathji.org   | |  www.Dadakhachar.com  | |  www.Darbargadh.com  | |  www.Gadhadamandir.com  |
  |  www.Harikrushnamaharaj.com  | |  www.Shrijimaharaj.com  |  
 
Live Darshan Visitor
    Website Visitors :